નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રના મુખપૃષ્ઠથી નારાજ છે. તેઓ કવર પેજ પર આછો રંગ રાખવા માગતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WIONને સૂત્રોએ જણાવ્યું કે, નવી દિલ્હી ખાતે કોંગ્રેસના વડામથકમાં ઘોષણાપત્ર લોન્ચ કરતા પહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા રાજીવ ગૌડાને કહ્યું હતું કે તેઓ ઘોષણાપત્રના મુખપૃષ્ઠની જે થીમ રાખવામાં આવી છે તેનાથી નારાજ છે. 


ગૌડા કે જેઓ કોંગ્રેસનું ઘોષણાપત્ર તૈયાર કરનારી સમિતિના વડા પણ હતા તેમણે સ્વીકાર્યું કે સોનિયા ગાંધીએ તેમની સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, "આપણે ઘોષણાપત્રમાં નેતાઓના ફોટા મુકતા નથી, પરંતુ લોકોનો ફોટો મુકીએ છીએ." ગૌડાએ વધુમાં જણાવ્યું કે, આ કવર પેજ તૈયાર કરતાં પહેલા સામ પિત્રોડા સહિતના ટોચના નેતાઓ સાથે અનેક બેઠક થઈ હતી. 


લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના 4.51 કરોડ મતદારોમાં 10 લાખ પ્રથમ વખત કરશે મતદાન


સોનિયા ગાંધીએ જ્યારે ઘોષણાપત્ર ખોલીને અંદરથી વાંચ્યું ત્યારે તેમણે સુચન કર્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં 9મા પાના ઉપર જે ફોટો મુકવામાં આવ્યો છે, તેને મુખપૃષ્ઠ પર મુકવાની જરૂર હતી. આ ફોટામાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઘૂંઘટ કાઢેલી મહિલાઓની વચ્ચે બેઠા છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


ગૌડાએ વધુમાં જણાવ્યું કે, સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના ફોટાની સાઈઝ વિશે પણ કંઈ કહ્યું નથી કે તેમણે કોંગ્રેસના અન્ય નેતાઓના ફોટા કવર પેજ પર ન હોવા અંગે પણ કોઈ ટિપ્પણી કરી ન હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....