નવી દિલ્હી: દેશમાં જે રીતે કોરોના (Corona Virus) ના કેસ વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક સ્થિતિ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 29,05,824 પર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હાલ દેશમાં 6,92,028 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 21,58,947 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. દેશમાં કોરોનાથી એક જ દિવસમાં 983 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અત્યાર સુધીમાં કોવિડ-19 (Covid-19) થી 54,849 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો


D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.89 ટકા થયો છે. જ્યારે એક્ટિવ કેસ એટલે કે જેઓ સારવાર હેઠળ છે તેમનો દર ઘટીને પણ 24 ટકા થયો છે. રિકવરી રેટ 74 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 


Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube