Maharashtra Politics: પાર્ટીમાંથી અજિત પવારના કથિત બળવા અંગેની અટકળો વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે અજિત ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત છે. આ બધી વાતો માત્ર મીડિયામાં છે. તેમણે કહ્યું કે આવી અટકળો ખોટી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું
NCP વડાએ અજિત પવારના કથિત બળવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે કહ્યું કે અજીત ચૂંટણીના કામમાં વ્યસ્ત છે. આ બધી વાતો માત્ર મીડિયામાં છે.
 


સંજય રાઉતના નિવેદનથી અટકળોનું બજાર ગરમ થયું 
વાસ્તવમાં, શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે શરદ પવારે તેમને કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપ સાથે હાથ નહીં મિલાવશે, પરંતુ કેટલાક ધારાસભ્યો દબાણમાં પાર્ટી બદલી શકે છે.


રાઉતના આ નિવેદનને એટલા માટે મહત્વ આપવામાં આવ્યું કારણ કે છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને અજિત પવાર વચ્ચે મતભેદના સમાચાર સામે આવી રહ્યા છે. એવી અટકળો ચાલી રહી છે કે અજીત બીજેપી સાથે ગઠબંધન કરી શકે છે. જોકે, અજિતે આ અટકળોને પાયાવિહોણી ગણાવી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP)નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર ભાજપ (BJP)સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ લાવી શકે છે. અજિત પવાર બીજેપી સાથે હોવાના સમાચાર પર ચર્ચાએ જોર પકડ્યું છે. એવી અટકળો છે કે તે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. NCP વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપમાં જોડાવાની અથવા પક્ષ બદલવાની તમામ અફવાઓને ફગાવી દીધી છે.