શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ સોમવારે કહ્યું કે, ભાજપ દરેક પ્રકારે નિષ્ફળ રહી છે. તેઓ એવા મુદ્દા શોધી રહ્યા છે, જે મત્ત લેવા માટે મહત્વનાં હોય. તેમણે કહ્યું કે, જો કલમ 370ને હટાવવામાં આવે તો પછી હિન્દુસ્તાનનો જમ્મુ કાશ્મીર પર બિનકાયદેસર કબ્જો થઇ જશે. તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં બારુદ છે તમે ચિંગારી ફેંકશો તો ન જમ્મુ કાશ્મીર રહેશે અને ન તો હિન્દુસ્તાન રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતી મુસ્લિમોનાં મત ઇચ્છતા હોય તો બાકી જનતા ભાજપને મત આપે: યોગી

મહેબુબા મુફ્તીએ કહ્યું કે, ભાજપ દરેક પગલે નિષ્ફળ રહ્યું છે પછી તે બેરોજગારીનો મુદ્દો હોય કે ખેડૂતોનો મુદ્દો હોય પછી મોંઘવારીનો મુદ્દો હોય. તેમણે કહ્યું કે, આ નિષ્ફળતાઓનાં કારણે હવે તેઓ આવા મુદ્દો શોધી રહી છે જેના આધારે તે મતદાતાઓને લલચાવી શકે. 35 એ એવો જ એક મુદ્દો છે. મહેબુબાએ કહ્યું કે 370નો સવાલ છે તો તે મુદ્દે પહેલા જ કહી ચુકી છું કે 370 જમ્મુ કાશ્મીરને મુલ્ક સાથે જોડે છે અને હવે તમે આ પુલને તોડો છો તો હિન્દુસ્તાનનું જમ્મુ કાશ્મીર પર કબ્જો અયોગ્ય બની જાય છે, તે વ્યાવસાયી બળ બની જાય છે. 


વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ
IAFએ પુરાવા રજુ કરીને F-16 અંગે પાક.ને ફરી તમાચો માર્યો, અમેરિકા ભોંઠુ પડ્યું

મહેબુબાએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષોથી જમ્મુ કાશ્મીરનાં લોકો લડી રહ્યા છે તેઓ ચોક્કસ ઇરાદા માટે. જ્યારે 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવશો તો તમે જમ્મુ કાશ્મીરને દેશમાંથી પણ આઝાદ કરશો.તેમણે કહ્યું કે, જે પ્રકારે એનઆઇએએ ધાર્મિક પ્રચારક મીરવાઇઝ મૌલવી ઉમર ફારુકને દિલ્હી લઇ ગયા તે દેખાડે છે કે કઇ રીતે આપણે કાશ્મીરમાં સખ્તી વર્તી રહ્યા છો. માત્ર મીરવાઇઝ સાથે નહી સમગ્ર કાશ્મીરીઓની ઇજ્જત સાથે રમત કરી રહ્યા છો, જેના પરિણામો ભવિષ્યમાં ખુબ જ ખતરનાક થવાનાં છે.