નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) એ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી


સ્વામીએ મંગળવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, "મેં એમ્સ ટીમના કથિત રિપોર્ટ સંલગ્ન મારા 5 સવાલો પર સવાસ્થ્ય સચિવ સાથે વાતચીત પૂરી કરી લીધી છે. એક સમાચાર ચેનલે આ રિપોર્ટને લઈને દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ મામલે મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. હવે હું સંબંધિત વિશેષજ્ઞો સાથે વાત કરીશ."


અભિનેત્રીએ PM Modi ને મદદ માટે ગુહાર લગાવી, કહ્યું-'આ ગેંગ મને મારી નાખશે'


અત્રે જણાવવનું કે સ્વામીની ટ્વીટ એવા સમયે આવી છે કે જ્યારે થોડા દિવસો પહેલા જ એમ્સની પેનલના રિપોર્ટમાં સુશાંતની હત્યા હોવાની શંકાને ફગાવીને આત્મહત્યાનો કેસ ગણાવવામાં આવ્યો છે.