ચંડીગઢઃ કૃષિ કાયદા વિરુદ્ધ રાજધાની દિલ્હી અને તેને લાગેલી રાજ્ય સરહદો પર ચાલી રહેલ કિસાન આંદોલન વધુ મજબૂત થઈ ગયું છે. વિપક્ષી દળોની સાથે-સાથે એક સમયે ભાજપનું મિત્ર રહેલું અકાલી દળ હવે આક્રમક થઈ ગયું છે. ગુરૂવારે પાર્ટીના માગદર્શક પ્રકાશ સિંહ બાદલે કિસાનોના સમર્થનમાં પોતાનો પદ્મ વિભૂષણ પરત કર્યો છે. તો તેમના પુત્ર અને પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આંદોલનમાં ખાલિસ્તાનીઓની હાજરીની અફવાને લઈને આક્રમક વલણ દેખાડ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'આ આંદોલનમાં ઘણી વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ તે કિસાનોનું અપમાન છે. તેની (ભાજપના નેતાઓ)ની હિંમત કેમ થઈ અમારા કિસાનોને દેશદ્રોહી કહેવાની? બાદલે આગળ કહ્યુ, 'ભાજપ કે કોઈ અન્ય કિસાનોને દેશદ્રોહી કહેવાનો હક કોણે આપ્યો? આ લોકો (કિસાનો)એ પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને તમે તેને દેશદ્રોહી કહી રહ્યાં છો? જે દેશદ્રોહી કહી રહ્યાં છે તે ખુદ દેશદ્રોહી છે.


Farmers Protest: કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો


હરિયાણાના સીએમે કહ્યુ હતુ, કિસાનો વચ્ચે ખાલિસ્તાની
હકીકતમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કિસાન આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોની હાજરીનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભીડમાં ઉપદ્રવિયોના સામેલ હોવાના અહેવાલો છે. અમારી પાસે એવા ઓડિયો-વીડિયો છે, જેમાં નારા લાગી રહ્યાં છે કે જ્યારે ઈન્દિરા સાથે આ કરી દીધું તો મોદી શું વસ્તુ છે. સીએમનો આરોપ છે કે પંજાબના મુખ્યમંત્રી ઓફિસના કેટલાક લોકો આ આંદોલનને સંચાલિત કરી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube