નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના કથિત રીતે ભંગના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરશે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે કાર્યવાહીની માગણી કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદી અને અમિત શાહે મત માગવા માટે સશસ્ત્ર દળો અને રક્ષાકર્મીઓનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ અરજીકર્તા તરફથી અભિષેક મનુ સિંઘવીએ આ મામલે તત્કાળ સુનાવણીની માગણી પણ કરી છે. 


VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...