નવી દિલ્હી: મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટ પહોંચેલા ચૂંટણી પંચને અહીં પણ કોઈ રાહત મળી નહી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હાઈકોર્ટની પ્રતિષ્ઠા ઓછી થાય તેવા કોઈ કામ નહીં કરે, કારણ કે તે લોકતંત્રના મહત્વના સ્તંભ છે. અત્રે જણાવવાનું કે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશમાં ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં અસફળ રહેલા ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ ચાલવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિપ્પણીને યોગ્ય  Spirit માં લો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે જ્યારે જજ કોઈ મામલે સુનાવણી કરે છે તો તે વ્યાપક સ્તર પર લોકોના હિત પર ધ્યાન આપે છે. તેઓ પણ માણસ છે અને તેમને પણ તણાવ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પંચને સલાહ આપતા કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટે જે પણ કઈ કહ્યું છે તે યોગ્ય ભાવનામાં ગ્રહણ કરવું જોઈએ. 


ચૂંટણી પંચની અરજીમાં શું લખ્યું છે? 
ચૂંટણી પંચે પોતાની અરજીમાં લખ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી ખુબ જ કટુતાવાળી છે. કોર્ટે પંચને પોતાની વાત રજુ કરવાની તક પણ ન આપી કે ન તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ જવાબદાર અધિકારીઓ પાસે કોઈ જવાબ માંગવામાં આવ્યો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટાભાગે કેટલીક વાતો પાછલા અનુભવ અને સતત આદેશોના ભંગને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતી હોય છે. બધુ ઓર્ડરમાં ન હોઈ શકે. 


Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube