નવી દિલ્હી: કલંકિત નેતાઓની ચૂંટણી લડવાથી રોકવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય ન્યાયપીઠ આજે (25 સપ્ટેમ્બર) ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે કલંકિત ધારાસભ્ય, સંસદ અને નેતાઓ આરોપ સાબિત થયા બાદ પણ ચૂંટણી લડી શકે છે. પાછલા થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ગંભીર ગુનાઓમાં જેમાં 5 વર્ષથી વધુ સજા હોય અને કોઇ વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો હોય તો તેને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકમાં જાદૂ, 1,000થી વધુ લોકોએ કરાવી સારવાર


વેબસાઇટ પર મુકવામાં આવે માહિતી
કલંકિત નેતાઓની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા મંગળવારે વડા જજ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, કોઇપણ નેતાની સામે ચાર્જશીટના આધાર પર કાર્યવાહી થઇ શકે નહીં. કોર્ટે ચુકાદો આપતા ચૂંટણી કમિશનને કહ્યું કે તેઓ રાજનેતાઓના ગુનાઓની માહિત પોતાની વેબસાઇ પર મુકો, જેનાથી આ વાતની માહિતી પ્રાપ્ત કરી શકાય કે એક નેતાએ કેટલા ગુના કર્યા છે.


રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ બાદ કોન્સ્ટેબલને હટાવ્યો


સંસદ પર કાયદો બનાવવાની જવાબદારી
રાજકારણના ગુનાખોરીને ખતરનાક ગણાવીને, સુપ્રીમ કોર્ટે સંસદને તેના માટે કાયદા બનાવવા માટે જવાબદારી સોંપી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે રાજકારણમાં પારદર્શિતા એ એક મોટી વાત છે, જેમાં રાજકારણીઓને ગુનામાં સામેલ થવું ટાળવું જોઈએ.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....