Chandigarh Mayor Supreme Court Order: ચંદીગઢ મેયર ચૂંટણીમાં ગરબડીના મામલે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી થઇ. ચીફ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડના નેતૃત્વમાં ત્રણ જજોની બેંચે નાખવામાં આવેલા વોટોની તપાસ કરી. આ દરમિયાન રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પણ કોર્ટમાં હાજર રહ્યા. કોર્ટે તેમને ક્રોસ ઉલટ તપાસ અને ઘણા તીખા પ્રશ્નો પૂછ્યા. આ પહેલાં થયેલી સુનવણીમાં અનિલ મસીહે સ્વિકાર કર્યો હતો કે તેમણે જ બેલેટ પેપર પર ક્રોસ પર નિશાન લગાવ્યા હતા. મોટો ચૂકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરિણામ રદ કરી દીધા. સાથે જ ચૂંટણીને અમાન્ય ગણવામાં આવેલા 8 વોટોને માન્ય ગણતાં આપના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા. સાથે જ અનિલ મસીહ પર આકરી ટિપ્પણી કરતાં તેમને ગોટાળાના દોષી ગણ્યા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત થોડા દિવસો પહેલાં જાહેર થયેલા પરિણામને કર્યા રદ
સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની ચૂંટણીને થોડા દિવસો પહેલાં જાહેર થયેલા પરિણામોને રદ કરી દીધા. કોર્ટે કહ્યું કે રિટર્નિંગ ઓફિસરે જે 8 વોટ અમાન્ય ગણ્યા હતા. તે બધુ AAP ઉમેદવાર કુલદીપ કુમારના પક્ષમાં મતદાન થયું હતું. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે કોર્ટની જવાબદારી બને છે કે પૂર્ણ ન્યાય કરે, જેથી ચૂંટણી લોકતંત્ર જળવાઇ રહે. 


રિટર્નિંગ ઓફિસરે લગાવી ફટકાર, નોટિસ જાહેર
કોર્ટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી પરિણામો રદ કર્યા હતા. આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસરને પણ કોર્ટ સમક્ષ ખોટું નિવેદન આપવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અધિકારીનો ખુલાસો કે તેણે બગડેલા બેલેટ પેપર પર અલગ-અલગ નિશાનો બનાવ્યા તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી ધાંધલધમાલ માટે દોષી ઠેરવ્યા અને જવાબ આપવા માટે નોટિસ જારી કરી. નોટિસમાં અનિલ મસીહને પૂછવામાં આવ્યું છે કે  3 સપ્તાહમાં ખુલાસો આપે કે શા માટે તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.



લોકતંત્ર બચાવવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર
ચંદીગઢ મેયરના મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર અરવિંદ કેજરીવાલે પોસ્ટ કરીને કોર્ટે આભાર વ્યક્ત કર્યો છે. કેજરીવાલે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં લોકતંત્ર બચાવવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર. 


'ફાયદો લેવા માટે ફરી ચૂંટણીની માંગ કરી રહી છે ભાજપ'
સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોને ટાંકીને કહ્યું કે નિયમો અનુસાર કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં જ મેયરની પસંદગી થવી જોઈએ. આ અંગે વાંધો ઉઠાવતા સિંઘવીએ કહ્યું કે આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જો નિયમો મુજબ ચૂંટણી થાય. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ફરીથી ચૂંટણીની માંગ કરી રહી છે જેથી તેને પક્ષપલટાનો લાભ મળી શકે.


'અનિલ મસીહની એક્શન કોર્ટની અવગણના'
AAP કાઉન્સિલર કુલદીપ કુમાર વતી કોર્ટમાં દલીલ કરતી વખતે વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'અનિલ મસિહે ગઈ કાલે કોર્ટમાં જે કહ્યું તે ખોટું હતું. તેણે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ કોર્ટની અવમાનના સમાન છે. મસીહ વતી મુકુલ રોહતગીએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે તેમણે સહી કરવી પડશે. મત સાચો હતો કે ખોટો એ જાહેર કરવું એ તેમનું પોતાનું મૂલ્યાંકન હતું. તે ખોટા હોઈ શકે છે.