નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya Case) મામલે સુપ્રીમ કોર્ટમાં 18 જેટલી પુન:વિચાર અરજીઓ પર આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ તમામ અરજીઓને ફગાવી દીધી છે. જજોએ પોતાની ચેમ્બરમાં સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ એસ એ બોબડે (Sharad Arvind Bobde) ની અધ્યક્ષતામાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, અને જસ્ટિસ સંજીવ ખન્નાએ સુનાવણી હાથ ધરી હતી. અત્રે જણાવવાનું કે અયોધ્યા વિવાદ પર 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડ: PM મોદીએ CAB મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યું- 'પૂર્વોત્તરમાં આગ લગાવવાની કોશિશ કરે છે'


સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીનને રામ મંદિર નિર્માણ માટે આપી દેવાની વાત કહી હતી અને સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં કોઈ પણ જગ્યાએ મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. આ મામલે પુન:વિચારની 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેની ઇન ચેમ્બર સુનાવણી આજે બપોરે હાથ ધરાઈ. 


જુઓ LIVE TV..


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube