નવી દિલ્હી: એન્જિનિયર અને ડોક્ટર બનવાના સપના જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યાં છે. કોરોના મહામારી (Corona virus) ને ધ્યાનમાં રાખીને IIT-JEE અને NEET પરીક્ષાઓને યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 26 લાખ પાર, એક દિવસમાં 941 લોકોના મૃત્યુ


સોમવારે જસ્ટિસ અરુણ મિશ્રાની પેનલે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા IIT-JEEને સ્થગિત કરવાની માગણીવાળી અરજી ફગાવી દીધી. અરજી ફગાવતા પેનલે કહ્યું કે આ દેશમાં બધુ અટકાવી દઈએ? એક કિમતી વર્ષ આમ જ બરબાદ થવા દઈએ?


Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ 


અત્રે જણાવવાનું કે અરજીમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને પગલે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત  IIT-JEE અને NEET પરીક્ષાઓને ટાળવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે હાલમાં જ જણાવ્યું હતું કે જેઈઈ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવશે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube