નવી દિલ્હી: હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ હાથરસ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે કેસમાં થઈ રહેલી સીબીઆઈ તપાસ ચાલુ રહેશે અને તેની નિગરાણી અલાહાબાદ હાઈકોર્ટ કરશે. કોર્ટે CBI તપાસ બાદ હાઈકોર્ટને રિપોર્ટ સોંપવાના પણ નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાની પરિજનોની અપીલ પર કહ્યું કે હાલ CBI તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ આ મામલે કોર્ટ કોઈ નિર્ણય આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ


આ અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનની પેનલે એક જનહિત અરજી અને કાર્યકરોની સાથે સાથે વીકલો તરફથી દાખલ કરાયેલી અન્ય હસ્તક્ષેપ અરજીઓ પર 15 ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીઓમાં દલીલો અપાઈ હતી કે ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ સુનાવણી શક્ય નથી. કારણ કે કથિત રીતે તપાસ બાધિત કરાઈ હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube