નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28મી મે સુધીમાં આપવો પડશે જવાબ
સુપ્રીમ કોર્ટના 20 સિનિયર એડવોકેટે સોમવારે પ્રવાસી મજૂરોની દુર્દશાને લઈને સુપ્રીમ કોર્ટને એક પત્ર લખ્યો હતો. જેના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની સ્થિતિવાળી અરજીને ગંભીરતાથી લીધી. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને ગુરુવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 28મીએ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોર્ટમાં જણાવવાનું રહેશે કે આખરે તેમણે પ્રવાસી મજૂરોની સ્થિતિ સુધારવા માટે અત્યાર સુધીમાં કયા કયા જરૂરી પગલાં ભર્યા છે. 


કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ પહોંચ્યા કોર્ટ
પ્રવાસી મજૂરોની દુર્દશાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લેતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ આજે કોર્ટમાં પહોંચ્યાં. તેમણે કોર્ટ પાસે આ મામલે દલીલો રજુ કરવાની મંજૂરી માંગી. ગુરુવારે તેમની અરજી પણ આ મામલે સુનાવણી માટે લાગશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube