નવી દિલ્હી: કોંગ્રેસ ભલે કંઇ પણ કહે, પરંતુ કોરોના સંકટ જેવી તમામ મુશ્કેલીઓ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો જલવો યથાવત છે. દેશની જનતા આજે પણ પીએમ મોદીને એટલો જ પ્રેમ કરે છે અને જો લોકસભા ચૂંટણી (Loksabha Election) કરાવવામાં આવે તો ભાજપ (BJP) સરળતાથી બહુમતના આંકડાને પ્રાપ્ત કરી લેશે. ઇન્ડીયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે અનુસાર, મોટાભાગના લોકો કોરોના મહામારીને સંભાળવાના સરકારી પ્રયત્નોથી ખુશ છે અને જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ જ તેમની પહેલી પસંદ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 States માં થયો સર્વે
આ સર્વેક્ષણ 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન 19 રાજ્યોમાં કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ 12,232 ઇન્ટરવ્યું કંડક્ટ કરવામાં આવ્યા. સર્વેમાં જાણવા મળ્યું કે 73 ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદી (Narendra Modi)ના પ્રયત્નોથી સંતુષ્ટ છે. તેને લાગે છે PM ની પ્રભાવી નીતિઓ અને નિર્ણયોના લીધે ભારતને દુનિયાના બાકી દેશોના મુકાબલે ઓછું નુકસાન થયું. સર્વેક્ષણના પરિણામો અનુસાર 64 ટકા લોકો NDA સરકારના અત્યાર સુધીના પ્રદર્શનથી સંતુષ્ટ છે.   

55 લાખ રૂપિયા આપીને વધારી 2 ઇંચ લંબાઇ, જાણો કેવી રીતે શક્યું બન્યું


કેટલી Seats મળી શકે છે?
જો અત્યારે લોકસભા ચૂંટણી થાય છે, તો 543 લોકસભા સીટોમાંથી પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએને 43 ટકા વોટો સાથે 321 સીટો મળી શકે છે. તો બીજી તરફ એકલા ભાજપને જ 37 ટકા વોટો સાથે 291 સીટો મળવાની સંભાવના છે. યૂપીએ માટે સ્થિતિ વધુ બદલાવાની નથી તેને 27 ટકા વોટો સાથે 93 સીટો મળી શકે છે, જ્યારે એકલા કોંગ્રેસને ફક્ત 51 સીટો પર જ સંતોષ માનવો પડી શકે છે. તો બીજી તરફ અન્ય પક્ષોને 30 ટકા મતો સાથે 129 સીટો મળી શકે છે. 

vaccine લગાવ્યા બાદ પણ 12 હજારથી વધુ લોકો થયા Corona Positive


કેવો રહ્યો કોરોનાનો પ્રભાવ?
સર્વેમાં સામેલ 66 ટકા લોકોએ સ્વિકાર્યું કે કોરોનાના લીધે તેમની આવક પર અસર પડી છે. જ્યારે 19 ટકાએ કહ્યું કે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી રાજ્ય સ્તર પર કોરોના સામે લડાઇનો સવાલ છે, 70 ટકા રાજ્ય સરકારોના કામકાજથી ખુશ છે. આ પ્રકારે 76 ટકા દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર પર સંતુષ્ટિ વ્યક્ત કરી છે. વેક્સીન લગાવવાના પ્રશ્ન પર 76 ટકા લોકોએ કહ્યું કે તે તેના માટે તૈયાર છે. જોકે 21 ટકા તેના વિરૂદ્ધ જોવા મળ્યા. 

તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...


કોણ છે સૌથી બેસ્ટ મંત્રી?
સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું કે મોદી સરકારના કયા મંત્રી સૌથી વધુ પસંદ છે. આ પ્રશ્નના જવાબમાં 39 ટકા લોકોએ અમિત શાહનું નામ લીધું અને તેમના કામકાજને નંબર 1 ગણાવ્યું,  જ્યારે 14 ટકા લોકોએ રાજનાથ અને 10 ટકા લોકોએ નિતિન ગડકરી સૌથી સારી મંત્રી લાગ્યા. તો બીજી તરફ લોકડાઉનના પ્રશ્ન પર 39 ટકા લોકોએ કહ્યું કે તેના લીધે કોરોના વાયરસના સંક્રમણને કંટ્રોલ કરવામાં મદદ મળી. જ્યારે 28 ટકાએ કહ્યું કે તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી. પરંતુ ઘણી પરેશાનીઓ પણ આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube