નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર હુમલાને સંપૂર્ણ રીતે ખોટા ગણાવતા કહ્યું કે, પ્રવાસીઓ પર હુમલો કરવો યોગ્ય નથી. રાહુલે સોમવારે કહ્યું કે, હિંસાના મૂળમાં રાજ્યમાં બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, ગરીબથી મોટી કોઈ દહેશત નથી. ગુજરાતમાં થઈ રહેલી હિંસાનું મૂળ ત્યાંના બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંન્ને સંકુચિત થઈ રહી છે. તેમણે કહ્યું, પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવવા અયોગ્ય છે. હું તેની વિરોધમાં છું. 



ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી પર કથિત બળાત્કાર બાદ છ જિલ્લામાં હિન્દીભાષી લોકો પર હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રાજ્ય સરકારે કહ્યું કે, હિંસાની ઘટનામાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કાર મામલામાં બિહારના એક પ્રવાસી શ્રમિકની ધરપકડ કર્યા બાદ હિંસાની શરૂઆત થઈ હતી.