હૈદરાબાદઃ તેલંગણાના (Telangana) કેસી રાવે (KC Rao) વિવાદિત નિવેદન આપ્યું છે. કેસી રાવે કહ્યુ કે બંધારણને ફરી લખવાની જરૂર છે. નવું બંધારણ (New Constitution) લાવવું જોઈએ. તેમણે કહ્યું કે, હું આ માટે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મળવા જઈ રહ્યો છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી કેસી રાવે કરી જાહેરાત
તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે કહ્યુ કે, દેશમાં નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે આ મુદ્દે વાત કરવા માટે મુંબઈ જઈ રહ્યો છું. આપણે ફરી બંધારણ લખવું પડશે. નવો વિચાર, નવું બંધારણ લાવવું જોઈએ. 


રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે લોકસભામાં સૌથી પહેલાં બોલશે રાહુલ ગાંધી, હંગામાની શક્યતા  


સામાન્ય બજેટની કરી આલોચના
તેલંગણાના મુખ્યમંત્રીએ મંગળવારે રજૂ થયેલા બજેટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ બજેટને ઝીરો ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બજેટમાં કિસાનો, ગરીબો અને નોકરીયાત વર્ગ માટે કંઈ નથી. 


ઉલ્લેખનીય છે કે 119 સીટોવાળી તેલંગણા વિધાનસભામાં મુખ્યમંત્રી કેસી રાવની પાર્ટી ટીઆરએસની બે-તૃતિયાંશથી વધુ બહુમતી છે. હાલમાં મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ટીઆરએસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 95થી 105 સીટ જીતશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube