હૈદરાબાદઃ તેલંગણામાં આ વખતે અને કોંગ્રેસે સૌથી આક્રમક પ્રચાર કર્યો. ત્યારબાદ ભાજપ અને પછી બીઆરએસનો પ્રચાર હતો. એગ્ઝિટ પોલમાં પ્રચારનો પડઘો પડતો નજરે પડે છે. મોટાભાગનાં પોલ કોંગ્રેસની તરફેણમાં છે. કોંગ્રેસ બીઆરએસને પછાડીને સરકાર બનાવી શકે છે. તો સામે મિઝોરમમાં ત્રિશંકુની સ્થિતિ સર્જાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપિનિયન પોલમાં તેલંગણાની ચૂંટણીનો જંગ બીઆરએસની તરફેણમાં એક તરફી હોવાનું સામે આવ્યું હતું. જો કે એગ્ઝિટ પોલમાં ચિત્ર બદલાયેલું નજરે પડે છે.મોટાભાગના પોલમાં કોંગ્રેસ બીઆરએસને ઝટકો આપતું હોવાનું સામે આવ્યું છે. 


પોલ સ્ટ્રેટના એક્ઝિટ પોલ પ્રમાણે તેલંગાણામાં ભાજપને 5થી 10, કોંગ્રેસને 49થી 56, BRSને 48થી 58 તેમજ અન્યોને 6થી 8 બેઠક મળતી હોવાનો દાવો કરાયો છે.
બહુમતી માટે 60 બેઠક જરૂરી છે, ત્યારે કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે કાંટાની ટક્કર છે. 


ઈન્ડિયા ટીવી સીએનએક્સના પોલમાં ભાજપને 2થી 4, બીઆરએસને 31થી 47 અને કોંગ્રેસને 63થી 79 બેઠકો મળતી હોવાનો દાવો કરાયો છે. 


આ પણ વાંચોઃ Exit Poll Results:છત્તીસગઢમાં કોની બનશે સરકાર? એક્ઝિટ પોલના આંકડાએ કર્યા આશ્ચર્યચકિત


ટાઈમ્સ નાઉ-ઈટીજીના પોલમાં ભાજપને 6થઈ 8, બીઆરએસને 37થી 45 તેમજ કોંગ્રેસને 60થી 70 બેઠકો મળતી હોવાનો દાવો કરાયો છે.


એટલે કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિથી વધુ બેઠકો. જો આ પોલ સાચા પડે તો કોંગ્રેસ બીઆરએસને સત્તાની હેટ્રીક લગાવતાં રોકશે અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીનો આક્રમક પ્રચાર કામ લાગશે. સાથે જ દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનશે.  


હવે જો મિઝોરમની વાત કરીએ તો અહીં મુકાબલો એમએનએફ અને ઝેડપીએમ વચ્ચે છે. જેમાં એમએનએફનો હાથ ઉપર હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. 


C-VOTERના પોલમાં MNFને 15થી 21, ZPMને 12થી 18 તેમજ કોંગ્રેસને 2-8 અને ભાજપના ફાળે એક પણ બેઠક આવતી ન હોવાનો દાવો કરાયો છે.  40 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 21 બેઠકોની જરૂર પડે છે. 2018માં MNFએ 26 બેઠકો મેળવીને સરકાર બનાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube