નવી દિલ્હીઃ મોટો કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી 200 રૂપિયા વધારી 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન પર ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. આજે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે આ સબસિડી 200 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે. 


કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું- પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર રસોઈ ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100થી ઘટી 900 રૂપિયા થઈ ગઈ. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો હતો. ઉજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube