નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી  (Pranab Mukherjee)એ પોતાના પુસ્તક 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ'મા કોંગ્રેસના પતનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. આગામી વર્ષે બજારમાં આવનાર આ પુસ્તકમાં 2014મા કોંગ્રેસને મળેલી હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે હાર માટે ઘણી હદ સુધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ  (Manmohan Singh) અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) જવાબદાર હતા. તેવા સમયે જ્યારે કોંગ્રેસ નેતૃત્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ ઉભો થવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ભવન સુધીની સફરનો ઉલ્લેખ
પ્રણવ મુખર્જી પોતાના નિધન પહેલા સંસ્મરણ 'ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ'   (The Presidential Years) લખી ચુક્યા છે. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી 2021મા વાચકો માટે ઉપલબ્ધ થશે. મુખર્જીનું કોરોના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે આ વર્ષે ઓગસ્ટમાં 84 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. પુસ્તકમાં પશ્ચિમ બંગાળના એક ગામથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી તેમની સફર વિશે જણાવવામાં આવ્યું છે. સાથે કોંગ્રેસના પતન અને પાર્ટીમાં ઉભા થયેલા મતભેદો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાન આંદોલનને આજે 17મો દિવસ, આ નેશનલ હાઈ-વેને કરશે જામ


‘ જો હું Prime Minister હોત’
પોતાના પુસ્તકમાં મુખર્જીએ આગળ લખ્યુ છે, પાર્ટીના કેટલાક સભ્યોનું તે માનવું હતું કે જો 2004મા તે પ્રધાનમંત્રી બન્યા હોત તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરાજયનો સામનો ન કરવો પડત. પરંતુ આ વાતમાં હું વિશ્વાસ નથી રાખતો. હું તે માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ પાર્ટીના નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી. સોનિયા ગાંધી પાર્ટીના  મામલાને સંભાળવામાં અસમર્થ હતા. તો મનમોદન સિંહની ગૃહમાં લાંબી ગેરહાજરીને કારણે સાંસદોની સાથે કોઈપણ વ્યક્તિગત સંપર્ક પર વિરામ લાગી ગયો. 


ગઠબંધન પર હતું મનમોહન સિંહનું ધ્યાન
પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં આગળ લખ્યુ છે, 'મારૂ માનવું છે કે શાસન કરવાનો નૈતિક અદિકાર પ્રધાનમંત્રી સાથે જોડાયેલો છે. રાષ્ટ્રની સમગ્ર સ્થિતિ પીએમ અને તેમના તંત્રના કામકાજને પ્રતિબિંબિત કરે છે, જ્યારે મનમોહન સિંહને ગઠબંધન બનાવવાની સલાહ આપવામાં આવી, તેઓ ગઠબંધનને સાચવી રાખવાનું વિચારતા હતા અને તેની અસર સરકાર પર પણ દેખાતી હતી. તો નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સર્વાધિકારી શૈલીને અપનાવતા પ્રતીત થઈ જે સરકાર, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે મજબૂત સંબંધોના દ્વારા જોવા મળી.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube