નવી દિલ્હી: ભગવાન શિવ બ્રહ્માંડના સર્જક છે. તેઓ દરેક કણ કણમાં વસેલા છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના 2 અવતાર હજુ પણ આ પૃથ્વી પર જીવિત છે. તેમના આ અવતારોના અસ્તિત્વ પાછળની વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૃથ્વી પરના દુષણોનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, ભગવાન અવતાર લે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે પણ અનેક અવતાર લીધા છે. કળિયુગમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના અવતારોનું પણ શાસ્ત્રોમાં વર્ણન છે. કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી તરીકે અવતાર લેશે. જ્યારે ભગવાન શિવના 2 અવતાર આજે પણ આ ધરતી પર છે.


શિવજીના એક અવતાર પૂજવામાં આવે છે, બીજા અવતાર શ્રાપિત
ભગવાન શિવના આ બે અવતાર મહાભારત યુગના યોદ્ધા ભગવાન હનુમાન અને અશ્વત્થામા છે. તેમાંથી ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે, જ્યારે અશ્વત્થામા વિશે એવું કહેવાય છે કે આજે પણ તે ગાઢ જંગલમાં ક્યાંક ભટકી રહ્યો છે. હનુમાનનો જન્મ વનરાજ કેસરીની પત્ની અંજનીના ગર્ભમાંથી થયો હતો, જ્યારે અશ્વત્થામાનો જન્મ ગુરુ દ્રોણાચાર્યના ઘરે થયો હતો. દ્રોણાચાર્યએ કઠોર તપસ્યા કરી હતી અને શિવ પાસે વરદાન માંગ્યું હતું કે તેઓ તેમના પુત્ર તરીકે જન્મે. પછી સાવૅતિક રુદ્રના અંશમાંથી અશ્વત્થામાનો જન્મ થયો.


માતા સીતાએ અમર થવાનું વરદાન આપ્યું
જ્યારે પવનપુત્ર હનુમાન સીતાને શોધવા સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા ત્યારે સીતા માતાએ તેમને અમર થવાનું વરદાન આપ્યું. એટલા માટે કહેવાય છે કે હનુમાનજી હજી જીવિત છે અને તેમના ભક્તોની સંખ્યા અસંખ્ય છે.


અશ્વત્થામાને શ્રાપ મળ્યો
જ્યારે, મહાભારતના યુદ્ધમાં કૌરવોનાં પરાજય થયો હતો, ત્યારે અશ્વત્થામાએ પાંડવોના પાંચ પુત્રોને રાત્રે સૂતી વખતે મારી નાખ્યા હતા. ઉત્તરાના ગર્ભનો છેલ્લા અંશને નાશ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. તેનાથી ક્રોધિત થઈને ભગવાન શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી પર અનંતકાળ સુધી જીવશો અને ભટકતા રહેશો.


નોંધ- (અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)