શ્રીનગરઃ કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાએ પત્રાકારો સાથેની વાતચતીમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે. ગૃહ મંત્રાલય જુઠ્ઠું બોલી રહ્યું છે. તેમણે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી અંગે કાયદાકીય રીતે આગળ વધવાની વાત જણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "ગૃહ મંત્રાલય જુઠ્ઠું બોલી રહ્યું છે. મારા પુત્ર ઉમર અબ્દુલ્લાને જેલમાં નાખી દેવાયો છે. કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે. મને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે."


સુપ્રિયા સુલેના નિવેદન અંગે શાહનો જવાબ, "અમે ફારૂક અબ્દુલ્લાની ધરપકડ કરી નથી"


કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અંગે ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલશે એવી અપેક્ષા ન હતી. કલમ-370ના મુદ્દે અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધીશું."


પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે બોલાવાયેલી ઈમરજન્સી બેઠકમાં ઈમરાન જ ન પહોંચતા થયો હોબાળો 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....