મુંબઈઃ મુંબઈમાં કોરોના વાયરસ (Corona virus) ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. મંગળવારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ચેતવણી આપતા કહ્યુ કે, કોવિડ-19ની ત્રીજી લહેર પહેલાથી અહીં છે. પેડનેકરે મુંબઈવાસીઓને પોતાના ઘરોની બહાર ગણેશ ચતુર્થીની ઉજવણી વિરુદ્ધ સાવચેત કર્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસમાં શહેરમાં કોવિડ-19ના મામલામાં પોઝિટિવિટી રેટમાં વૃદ્ધિ જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયર કિશોરી પેડનેકરે સંવાદદાતાઓને કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર આવી રહી નથી, તે પહેલાથી અહીં છે. નાગપુરમાં પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે. પેડનેકરે મુંબઈમાં લોકોને ગણેશ ચતુર્થી દરમિયાન ઘર પર રહેવાનો પણ આગ્રહ કર્યો છે, જે 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમણે ભાર આપીને કહ્યું કે, માસ્ક પહેરવું જોઈએ અને કોવિડ-19ના પ્રસારને રોકવા માટે અન્ય સાવધાની રાખવી જોઈએ. 


છત્તીસગઢના CM ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, બ્રાહ્મણ સમાજ પર કરી હતી વિવાદિત ટિપ્પણી


પ્રતિબંધોમાં છૂટછાટ થઈ શકે છે ખતમ
મંત્રીએ કહ્યુ કે, કોરોનાના વધતા કેસને જોતા દુકાનો અને અન્ય સંસ્થાઓને સાંજે 4 કલાક સુધી અને વીકેન્ડ પર સંપૂર્ણ બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, માત્ર જરૂરી સેવાઓને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, બેથી ત્રણ દિવસમાં વેપારીઓ અને અન્ય સંગઠનો સાથે બેઠક બાદ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના 3626 નવા કેસ સામે આવ્યા અને 37 લોકોના નિધન થયા હતા. તો મુંબઈમાં કોરોના વાયરસના 383 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોના મૃત્યુ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube