નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસે જેટલી ઝડપથી સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે તેના આધારે એક અંદાજિત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ભારતને સાવધાન કરીને કહે છે કે જો ધ્યાન રાખવામાં ન આવ્યું તો મે મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં કોરોનાના સંક્રમણના કેસો વધીને દસ લાખથી તેર લાખ સુધી પહોંચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાથી આવ્યો છે આ રિપોર્ટ
સંયુક્ત રાજ્ય અમેરિકાના વૈજ્ઞાનિકોની ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના પર સ્ટડી  કરી રહી છે. આ સ્ટડીના આધારે આ ટીમે આંકડાઓના અનુમાનવાળો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ભારત માટે આ રિપોર્ટમાં એક મોટી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ રિપોર્ટ કહે છે કે મે મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં કોરોના સંક્રમણના દસથી તેર લાખ સુધીના કેસ સામે આવી શકે છે. 


કોરોનાથી ભારતમાં ચિંતા વધી
આ રિપોર્ટે સવા સો કરોડની જનસંખ્યાવાળા ભારતના ચિકિત્સા અધિકારીઓ અને વિશેષજ્ઞો વચ્ચે ચિંતા વધારી દીધી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી સર્વાધિક સક્રિય વડાપ્રધાન સાબિત થયા છે. આવામાં કોરોના સામે યુદ્ધની તૈયારીઓને લઈને દેશ પણ ઉત્સાહમાં છે. 


આમ છતાં અનુમાન છે કે આવનારા અઠવાડિયાઓમાં કોરોના સંક્રમણના નવા કેસ ઝડપથી વધી શકે છે. અને આ સ્થિતિ દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં ગંભીર તણાવ પેદા  કરી શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...