મુંબઈઃ મુંબઈમાં ઈન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે યુદ્ધ જહાજ આીએનએસ રણવીરના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત ત્રણ નેવી જવાન શહીદ થયા છે અને અન્યને ઈજા પહોંચી છે. પરંતુ બ્લાસ્ટને તત્કાલ બાદ કાબુ કરી લેવામાં આવ્યો, જેનાથી જહાજને વધુ નુકસાન થયું નથી. આ ઘટના બાદ તત્કાલ બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જહાજના ચાલક દળના સભ્યોએ તત્કાલ સ્થિતિ પર નિયંત્રણનો પ્રયાસ કર્યો. જહાજને વધુ નુકસાન પહોંચ્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube