નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહ-નક્ષત્રોની ચાલની તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. ગ્રહોની ચાલથી કેટલીક રાશિના જાતકોને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિઓને અશુભ. ગ્રહોની ચાલથી રાશિફળની જાણકારી આપવામાં આવે છે. ગ્રહોની ચાલથી 10 ઓકટોબર સુધીનો સમય કેટલીક રાશિ માટે શુભ તો કોઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ 10 ઓક્ટોબર સુધીનો સમય કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
વેપાર વિસ્તરણની યોજના સાકાર થશે.
ભાઈઓનો સહયોગ મળશે પણ મહેનત વધુ કરવી પડશે.
પરિવારમાં શુભ કાર્ય થશે.
કપડા જેવી ભેટ પણ મળી શકે છે.
નોકરીમાં બદલાવની સાથે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે.
આયાત-નિકાસના વ્યવસાયમાં લાભની તકો મળશે.
તમને માતાનો સહયોગ મળશે.
વાહન સુખમાં વધારો થઈ શકે છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.


વૃશ્ચિક રાશિ-
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
પરિવારની સુખ-સુવિધાઓનો વિસ્તાર થશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો.
કાર્યક્ષેત્રમાં ફેરફાર શક્ય છે.
તમને માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે.
ધંધામાં નફો વધવાની શક્યતા છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી.


આ પણ વાંચોઃ દિવાળીના બીજા દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, ચમકી જશે આ 3 રાશિનું ભાગ્ય


ધન રાશિ 
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, અભ્યાસમાં રસ રહેશે.
નવું મકાન કે વાહન ખરીદવાની શક્યતા છે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
નોકરીમાં બદલાવની સંભાવના છે, અન્ય જગ્યાએ જવું પડી શકે છે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
ધન લાભ થવાની સંભાવના છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.


મીન
પરિવારનો સહયોગ મળશે.
પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે.
જૂના મિત્રની મદદથી રોજગારની તકો મળી શકે છે.
કાર્યક્ષેત્રમાં વધારો શક્ય છે.
ભેટ સ્વરૂપે વસ્ત્રો મળી શકે છે.
મીન રાશિના લોકો માટે 12 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે.


(ડિસ્ક્લેમરઃ જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓને આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube