Badlapur School Girls Rape Case: કોલકત્તામાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગૃહ જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેને કારણો લોકોમાં રોષનો માહોલ છે. જો તમે પણ તમારા નાના બાળકોને નર્સરીમાં અભ્યાસ માટે મોકલતા હોય તો સાચવજો નહીં તો આવી ઘટના ઘટી શકે છે. થાનેમાં એક સ્કૂલના કર્મચારીએ નર્સરીની 2 બાળકીઓનું યૌનશોષણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ યૌન ઉત્પીડનની ઘટના સ્કૂલમાં ઘટી છે. 


વૈજ્ઞાનિકોની ચેતવણી! દુનિયાને તબાહ કરતો મોટો ટાઈમ બોમ્બ આર્કટિકમાં એક્ટિવ થઈ ગયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલ સત્તાવાળાઓએ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરી દીધી છે અને બાળકોને ફક્ત મહિલાઓ જ એટેન્ડ કરશે એવો આદેશ પણ આપી દીધો છે. બાળકીઓના વાલીઓએ આરોપ મૂક્યો છે કે 3થી 4 વર્ષની બાળકીઓને એટેન્ડન્ટ ખોટી જગ્યાએ ટચ કરતો હતો. સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે માફી માગી છે અને હાઉસ કીપિંગ ઓથોરિટીને પણ સસ્પેન્ડ કરી દીધી છે. 


પોલીસ અને અન્ય સત્તાવાળાઓને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. આંદોલનકારીઓને શાંત પાડવાના તંત્રએ પ્રયાસો કર્યા હતા. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે બદલાપુરની એક સ્કૂલમાં બનેલી ઘટનાના સંદર્ભમાં રેલ્વે સ્ટેશન પર આંદોલન ચાલી રહ્યું હતું.


આ ઘટનાના વિરોધમાં અનેક સંગઠનો દ્વારા બદલાપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય કિસન કાથોરે આ મુદ્દો સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો હતો અને સમયસર પગલાં લેવામાં નિષ્ફળ ગયેલા આરોપીઓ અને પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.


સુખી સંપન્ન ગુજરાત કહેવાનું બંધ કરો હવે! 7 કરોડની વસ્તીમાં 1.2 કરોડ લોકો તો ગરીબ છે