Udaipur Kanhaiyalal Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરનારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અંગે મોટો ખુલાસો થયાનો દાવો થઈ રહ્યો છે. બંને હત્યારાના સંબંધ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે હોવાનું કહેવાય છે. ગૃહ મંત્રાલયે આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (ANI) ને તપાસના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NIA ને સોંપાઈ તપાસ
ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું કે એમએચએએ NIA ને ઉદયપુર, રાજસ્થાનમાં થયેલી કન્હૈયાલાલ તેલીની નૃશંસ હત્યાની તપાસ પોતાના હાથમાં લેવાના નિર્દેશ આપ્યા છે. ટ્વીટમાં એમ પણ ઉલ્લેખ કર્યો કે કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય લીંકની સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એનઆઈએની એક ટીમને મંગળવારે એક ડીઆઈજી રેન્કના અધિકારી સહિત ઉદયપુર મોકલ્યા બાદ આ પગલું લેવાયું છે. સરકારી સૂત્રો મુજબ એનઆઈએની ટીમ ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમની કલમો હેઠળ મામલો નોંધશે.


Udaipur Murder Case: પોતાની હત્યા થવાની ભીતિ હતી દરજી કન્હૈયાલાલને, પોલીસને લખ્યો હતો પત્ર, વાંચીને હચમચી જશો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube