Udaipur Murder Case: કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ફટકાર લગાવી અને કહ્યું કે તેમની ટિપ્પણી તથ્યોથી દૂર છે અને તેમણે લક્ષ્મણરેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જોઈતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણમે એક ટ્વીટમાં ગહેલોત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે ધમકી મળવા છતાં કન્હૈયાને સુરક્ષા કેમ ન અપાઈ અને આરોપ લગાવ્યો કે હત્યારાઓ સાથે સાથે પોલીસ અને પ્રશાસન પણ સરખી રીતે જવાબદાર છે. તેમણે પૂછ્યું કે એસએસપી, ડીઆઈજી વિરુદ્ધ હજુ સુધી કાર્યવાહી કેમ થઈ નથી. કૃષ્ણમે એ પણ પૂછ્યું કે શું રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનો ઈકબાલ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube