નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)  ના રાજકારણમાં એકવાર ફરીથી હિન્દુત્વની એન્ટ્રી થઈ ગઈ છે. હજુ તો નવી સરકારને ગણતરીના 3 દિવસો થયા છે અને શિવસેનાએ હિન્દુત્વ મુદ્દે યુ ટર્ન  લઈ લીધો છે. વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (uddhav thackeray) એ જે કહ્યું કે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી ગઠબંધન માટે શુભ સંકેત નથી. જે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આ સરકાર બની છે તે સરકાર બનાવવા માટે કોંગ્રેસ-એનસીપીએ શિવસેનાને હિન્દુત્વનો મુદ્દો છોડવા માટે કહ્યું હતું પરંતુ સરકાર બનતા જ શિવસેના (Shivsena) એ વળી પાછો હિન્દુત્વનો રાગ આલાપવાનું શરૂ કરી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પોતાની વાત પર કાયમ રહેવું એ જ હિન્દુત્વ છે. તેઓ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડશે નહીં. આવામાં એ સવાલ ઉઠે છે કે શું ઉદ્ધવનું હિન્દુત્વ સોનિયા-પવારને સ્વીકાર છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'


મહારાષ્ટ્રમાં હિન્દુત્વ વિરુદ્ધ સેક્યુલર
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્રના નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે શિવેસનાનું હિન્દુત્વ હજુ  પણ સોનિયાના ચરણોમાં નતમસ્તક છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજ કાલ સામના સોનિયા નામા થઈ ગયું છે અને ભગવા પર પંજો ચિપકી ગયો છે. આ બાજુ એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે સેક્યુલરનો અર્થ થાય છે કે હિન્દુ- હિન્દુ રહેશે અને મુસલમાન- મુસલમાન રહેશે. 


Maharashtra : ઉદ્ધવ ઠાકરેએ પોતાની હિંદુત્વ વિચારધારા વિશે કરી મોટી સ્પષ્ટતા 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube