નવી દિલ્હીઃ નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે, જે સીએએ પર મુસલમાનો વચ્ચે માહોલ બનાવી રહ્યાં છે અને ભય ઉભો કરી રહ્યાં છે. શું અમારામાંથી કોઈએ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિનીની સેનાના એક સૈનિક હતા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીને લઈને તેમણે કહ્યું કે, કારણ કે તે અમારી વહુ છે અને આપણા દેશમાં તેના લગ્ન થયા છે. અમે દિલથી તેમનું સન્માન કરીએ છીએ. 


રાહુલ-પ્રિયંકા બગાડી રહ્યાં છે માહોલઃ ઉમા ભારતી
તમને જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને મુસ્લિમ નાગરિકોની નારાજગી પર પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ કહ્યું કે, જિન્ના તો રહ્યાં નથી પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના અહીં હાજર છે, જે માહોલ બગાડી રહ્યાં છે અને સીએએ પર મુસ્લિમો વચ્ચે ભયનો માહોલ પેદા કરી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....