નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે દેશોને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કેસ શોધવા માટે લોકોની તપાસ કરવી જોઇએ અને તે લોકોની પણ તપાસ કરવી જોઇએ જેમનામાં કોરોનાના લક્ષણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસનો ઘેરાવો વધારવો જોઇએ: WHO
કોવિડ 19 માટે ડબ્લ્યૂએચઓ (WHO) ની ટેક્નોલોજી પ્રમુખ મારિયા વાન કેરખોવે (Head of Technology, Maria Van Kerkhove)એ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે તપાસનો ઘેરાવો વધારવો જોઇએ તથા તે લોકોને પણ તપાસ કરવી જોઇએ જેમાં સંક્રમણના લક્ષણ અથવા તો એકદમ સામાન્ય અથવા પછી નથી. આ પહેલાં અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી (Health Agency)એ પોતાની નિતીમાં ફેરફાર કરતાં કહ્યું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા એવા લોકો જેમાં સંક્રમણના લક્ષણ નથી, તેમની તપાસ કરવી જરૂરી નથી. 

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા કોરોનાના 8થી વધારે સ્ટ્રેન, દર 15 દિવસે બદલાઇ રહ્યો છે કોરોના


અમેરિકાની નીતિ ખોટી
અમેરિકાના રોગ નિયંત્રણ તથા સારવાર કેન્દ્ર (Centers for Disease Control and Prevention)ની નીતિમાં ફેરફાર પહેલાં સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓને કહ્યું હતું હતું કે સંક્રમિત લોકોના 1.8 મીટરના દાયરામં 15 મિનિટ સુધી જે પણ વ્યક્તિ આવે છે તેમની તપાસ કરવી જોઇએ. જોકે નવા દિશા-નિર્દેશો (New Guidelines)ના અનુસાર સંક્રમિત લોકોના નજીકમાં સંપર્કમાં આવેલા લોકોમાં જો સંક્રમણના લક્ષણ નથી તો તેમને તપાસ અક્રવાની જરૂર પણ નથી. 

આ Apps ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, જલદીથી જોઇ લો લિસ્ટ


લોકો હવે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા
કેરખોવેએ કહ્યું કે 'આ ખૂબ જ જરૂરી છે કે તપાસને એક અવસર તરીકે લેવી જોઇએ, જેથી સંક્રમિત લોકોને અલગ કરી શકાય. તેમના સંપર્કોથી જાણી શકાય. સંક્રમણ ફેલાવવાની ચેનને તોડવા માટે આ જરૂરી છે. તેમણે અખ્યું કે આ ચિંતાનો વિષય છે કે લોકો હવે સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)ના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરતા નથી. કેરખોવેના અનુસાર માસ્ક પહેર્યા બાદ પણ એક મીટરનું અંતર જાળવવું જોઇએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube