નવી દિલ્હી : કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની સફાઇ મુદ્દે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર ખીણમાં આતંકવાદનું આ અંતિમ વર્ષ છે. આ વર્ષે કાશ્મીરથી આતંકવાદનો સફાયો થઇ જશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહનો આ દાવો તે સમયે સામે આવ્યો છે, જ્યારે અમરનાથ યાત્રા ચાલી રહી છે.