નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં પાછલી વારની તુલનામાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ રાજ્યોને શાળા શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલી શકશે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રાલય તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે દેશમાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી હશે. આ સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સ પોતાની 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. એટલે કે અડધી સીટો ખાલી રહેશે. આ બાબતે દેશનું સૂચના પ્રસારણ મંત્રાલય જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરશે.

શાળા અંગે નિર્ણય
શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ફરીથી ખોલવા માટે, રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારોને ક્રમશ  15 ઓક્ટોબર 2020 પછી નિર્ણય લેવાની રાહત આપવામાં આવી છે. નિર્ણય સંબંધિત શાળા / સંસ્થા સંચાલન સાથેની પરામર્શ બાદ લેવામાં આવશે, પરિસ્થિતિના આકારણીના આધારે અને નીચેની શરતોને આધિન નિર્ણય કરવાનો રહેશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube