લખનઉઃ UP Assembly Elections 2022: યોગી સરકારમાં મંત્રી રહેલા અને સમાજવાદી પાર્ટી  (Samajwadi Party) માં જોડાયા બાદ સ્વામી પ્રસાદ મૌર્યાની (Swami Prasad Maurya) સીટ બદલવામાં આવી છે. હવે સ્વામીપ્રસાદ મૌર્યા કુશીનગરની ફાઝિલનગર સીટથી વિધાનસભા ચૂંટણી લડશે. પહેલા તે પડરૌના વિધાનસભા સીટથી લડવાના હતા. સરોજિની નગરથી અભિષેક મિશ્રા અને સિરાથૂથી પલ્લવી પટેલને ટિકિટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશવ પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ચૂંટણી લડશે પલ્લવી પટેલ
સ્વામી પ્રસાદ મૌર્યા હાલમાં ભાજપ છોડી સપામાં જોડાયા છે. અભિષેક મિશ્રા પૂર્વ મંત્રી છે અને પલ્લવી પટેલ અદના દલ (કે) ની નેતા છે. યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા વિરુદ્ધ સમાજવાદી પાર્ટીએ પલ્લવી પટેલને મેદાનમાં ઉતારી છે. પલ્લવી પટેલ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની નાની બહેન છે. જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યની સીટ બદલી લેવામાં આવી છે. અભિષેક મિશ્રા લખનઉની સરોજિની નગરથી ભાજપના રાજેશ્વર સિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે. 


PM મોદીનો BJP કાર્યકર્તાઓ સાથે સંવાદ, કહ્યું- ત્રણ કરોડ ગરીબોને બનાવ્યા લાખોપતિ


મૌર્યએ આરપીએન સિંહ પર નિશાન સાધ્યું હતું
જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યને પૂછવામાં આવ્યું કે જો ભાજપ પડરૌના વિધાનસભા બેઠક પરથી તેમની સામે આરપીએન સિંહને મેદાનમાં ઉતારે તો શું તે તેમના માટે મોટો ખતરો હશે? આના પર મૌર્યએ કહ્યું, "આરપીએન સિંહ રાજ મહેલમાં જન્મ્યા છે અને તેમને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. જો તેઓ ત્યાંથી કોઈ સામાન્ય કાર્યકર સપાની ટિકિટ પર ચૂંટણી લડશે તો તેઓ આરપીએન સિંહને હરાવી દેશે."


10 માર્ચે આવશે પરિણામ
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3, 7 માર્ચે મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube