લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ-મુસ્લિમ દંપતિને પાસપોર્ટ ન મળવાના મામલે મોટું પગલું લેવાયું છે. આ વિવાદ પછી બંનેને નવો પાસપોર્ટ ઇશ્યૂ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેની પત્ની તન્વી સેઠે આ વાતની જાણકારી આપી હતી. અનસે કહ્યું હતું કે અધિકારીએ મને કહ્યું હતું કે ધર્મ પરિવર્તન કરીને તમારું નામ બદલી લો. ગૌ મંત્ર વાંચો અને ફેરા લઈ લો. આ પછી જ પાસપોર્ટ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે હિન્દુ-મુસ્લિમ દંપતિનીત પાસપોર્ટ અરજી પાસપોર્ટ ઓફિસે રદ કરી દીધી હતી. મોહમ્મદ અનસ સિદ્દીકી તેમજ તેની પત્ની તન્વી સેઠે 2007માં લગ્ન કર્યા હતા અને તેમણે લખનૌમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી. તન્વીનો આરોપે છે કે પાસપોર્ટ ઓફિસર વિકાસ મિશ્રાએ તેને નામ બદલવાની તેમજ તેના પતિને ધર્મ બદલવાની સલાહ આપી હતી. ફરિયાદના એક દિવસ પછી સંબંધિત અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. લખનૌના રિજનલ પાસપોર્ટ અધિકારીએ માહિતી આપી છે કે આવા કિસ્સાઓમાં દંપતિનું લગ્નનું પ્રમાણપત્ર લેવાનો પણ નિયમ નથી. 


Video : 8 વર્ષના બાળકે ખુરશી પર મુક્યા 4 ઓશિકાં અને બ્લેન્કેટની થપ્પી અને લટકી ગયો પંખા સાથે!


આ દંપતિએ 19 જૂને પાસપોર્ટ માટે અરજી આપી હતી અને 20 જૂને પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા. અનસ પોતાનો પાસપોર્ટ બીજી વાર ઇશ્યૂ કરાવવા ગયો હતો જ્યારે તન્વીએ નવા પાસપોર્ટ માટે અરજી કરી છે. આ કપલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ અને ઇ-મેઇલ કરીને ફરિયાદ કરી હતી. આ દંપતિને 6 વર્ષની એક દીકરી છે અને તેમણે ફરિયાદ કરી છે કે પાસપોર્ટ ઓફિસરે તેમને અપમાનિત કર્યા છે. તેમનો આરોપ છે કે નામ ન બદલવાનો નિર્ણય તેમનો અંગત છે અને આ મામલે પાસપોર્ટ અધિકારી તેમને કંઈ કહી ન શકે. 


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...