નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 471 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી તેમાંથી 32 દર્દીઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે. મહારાષ્ટ્રમાં આજથી કર્ફ્યૂ લાગુ છે રાજ્યમાં કોરોનાના 98 કેસ સામે આવી ગયા છે. કેરળમાં પણ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે 28 કેસ સામે આવ્યાં. આ જ રીતે રાજ્યમાં હવે કોરોનાના કુલ 94 કેસ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના: લોકડાઉનમાં પણ લોકો ઘરની બહાર, નારાજ PM મોદીએ ટ્વીટ કરીને કાઢી ઝાટકણી


સરકારે જે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની જાહેરાત કરી છે તેમાં 548 જિલ્લાઓ સામેલ છે. આ ઉપરાંત ત્રણ રાજ્યો એવા છે જેમાં કેટલાક જિલ્લાઓ લોકડાઉન છે. આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશા સામેલ છે. જ્યારે સિક્કિમ અને મિઝોરમમાં હજુ કોઈ આદેશ બહાર પડાયા નથી. 


કોરોનાની દહેશત: વિમાનમાં પેસેન્જરને આવી ઉપરા ઉપરી છીંક, પાઈલટ કોકપિટમાંથી કૂદીને ભાગ્યો


કર્ફ્યૂની વાત કરીએ તો પહેલા પંજાબ, પુડ્ડુચેરી અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીએ પણ પોતાના ત્યાં કર્ફ્યૂની જાહેરાત કરી. જ્યારે સોમવારે સીએમ પદ સંભાળનારા શિવરાજ સિંહ ચૌહાણે મોડી રાતે ભોપાલ અને જબલપુરમાં કર્ફ્યૂની વાત કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓફિસર તાળાબંધીનું કડકાઈથી પાલન કરાવે અને નિયમ તોડનારાઓ પર કડક કાયદેસર કાર્યવાહી પણ થાય. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન છે. સ્થિતિની ગંભીરતા એના પરથી સમજી શકાય કે હવે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોત પોતાના ત્યાં લોકડાઉન જાહેર કર્યું છે. દેશમાં હવે 548 જિલ્લાઓ સંપૂર્ણ રીતે લોકડાઉનમાં છે. 


જુઓ LIVE


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube