લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં લવ જેહાદ (Love Jihad) વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આથી આ વટહુકમ લાગુ થતા નવો કાયદો આજથી યુપીમાં અમલી આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 હજારથી વધુ નવા કેસ...જાણો લેટેસ્ટ સ્થિતિ


અત્રે જણાવવાનું કે ગત મંગળવાર એટલે કે 24 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યપાલ પાસે પાસ કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. વટહુકમ મુજબ દગો કરીને ધર્મ બદલાવવા બદલ 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ વરિવર્તન માટે જિલ્લાધિકારીને બે મહિના પહેલ સૂચના આપવાની રહેશે. 


દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન


યુપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે યુપી કેબિનેટ ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ 2020 લાવી છે. જે યુપીમાં કાયદો વ્યવસ્થા સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે. 24 નવેમ્બરના રોજ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં 100થી વધુ ઘટનાઓ સામે આવી હતી. જેમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનના કેસ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે છળ કપટ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે તેવું જોવા મળ્યું હતું. 


વટહુકમ મુજબ ધર્મ પરિવર્તન ઈચ્છુક લોકોએ નિર્ધારીત પ્રારૂપ પર જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવી પડશે. જેના ભંગ બદલ 6 મહિનાથી 30 વર્ષની સજા અને દંડની રકમ 10,000 રૂપિયાથી ઓછી ન હોવાની જોગવાઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube