Chardham Yatra 2022: હજારો શ્રદ્ધાળુઓના જયજયકાર વચ્ચે આજે સવારે પૌરાણિક પરંપરા અને વિધિ વિધાનથી બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. ચાર ધામની જાત્રાનું હિન્દુધર્મમાં ખુબ મહત્વ છે. ચાર ધામમાંથી એક બદ્રીનાથના કપાટ આજે સવારે 6.15 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા. મંદિરની ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં કપાટ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર તથા સેના બેન્ડની ધૂન સાથે ખોલવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે આ વખતે ચાર ધામ યાત્રા દરમિયાન દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી દેવાઈ છે. સરકારે બહાર પાડેલા આદેશમાં કહેવાયું છે કે બદ્રીનાથ ધામમાં રોજના 15 હજાર, ગંગોત્રીમાં 7 હજાર, કેદારનાથમાં 12 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર ભક્તો પ્રતિદિન દર્શનનો લ્હાવો લઈ શકશે. 


Video: DJ ના તાલે નાચવું બહુ ગમતું હોય તો સાવધાન...યુવકને મળ્યું દર્દનાક મોત, વીડિયો જોઈ હચમચી જશો


Interesting news: નાના ભૂલકાઓ જોડે લડ્ડુ ગોપાલ પોતે શાળામાં ભણે છે કક્કો અને બારાખડી! 


Electric Vehicles Fire: ઈલેક્ટ્રિક વાહનો કેમ ભડકે બળી રહ્યા છે? તપાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube