નવી દિલ્હી : દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેન્ગરેપ કાંડના દોષિતોની ફાંસીની સજા ઘટાડવાની અરજીની ફગાવી દીધી છે. હવે આ મામલામાં તમામ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નિર્ભયાકાંડમાં સામુહિક બળાત્કાર તેમજ હત્યાના મામાલમાં ચાર દોષિતોમાંથી ત્રણની પુન:વિચાર અરજી પર આજે સુનાવણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતી તેમજ જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો છે. ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના 5 મે, 2017ના નિર્ણય વિરૂદ્ધ કોઈ પુન:વિચાર અરજી દાખલ નથી કરી. 


 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...