કોલકત્તાઃ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (Bengal Assembly Election) ને ધ્યાનમાં રાખી રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ (Amit shah) પ્રથમ તબક્કાના મતદાન પહેલા રણમાં ઉતર્યા હતા. અસમમાં ચૂંટણી પ્રચાર બાદ સાંજે રાજ્યના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા શાહે ખગડપુરમાં મેગા રોડ શોની સાથે પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. ખગડપુર સદરથી ભાજપ ઉમેદવાર તથા અભિનેતા હિરણ ચેટર્જીના સમર્થનમાં સાંજે આયોજીત રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શોમાં હાજર સમર્થકોને સંબોધિત કરતા શાહે મમતા સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, અહીં ઉમટેલો જનસૈલાબ પરિવર્તનની નિશાની છે. બંગાળમાં તુષ્ટિકરણની રાજનીતિ હવે ચાલશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે દાવો કર્યો કે, ભાજપ રાજ્યમાં 200થી વધુ સીટો જીતી ચોક્કસપણે પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે. શાહે ભાર આપીને કહ્યુ કે, બંગાળની જનતા અમારી સાથે છે. શાહે કહ્યુ- સરકાર રચાયા બાદ ભાજપ બંગાળમાં તુષ્ટિકરણ સમાપ્ત કરશે. ભ્રષ્ટાચાર, ગેરવસૂલી વસૂલાતની સાથે અહીં કટમનીની સંસ્કૃતિને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવશે. ભાજપની સરકાર બંગાળની સરહદોને પણ સુરક્ષિત કરશે. બંગાળનો ચારેબાજુ વિકાસ થશે. શાહે કહ્યુ કે, ભાજપનું લક્ષ્ય બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનું છે અને આ લક્ષ્યની સાથે પાર્ટી આગળ વધી રહી છે. રોડ શો દરમિયાન શાહ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત મોટા નેતા હાજર રહ્યા હતા. ખુલી જીપમાં બેસી શાહ આગળ ચાલી રહ્યા હતા, જ્યારે પાછળ હજારો લોકોની ભીડ હતી. 


Taj Mahal નું નામ બદલી Ram Mahal કરવામાં આવે, ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કરી માંગ  


સોમવારે બે ચૂંટણી જનસભાઓને કરશે સંબોધિત
શાહ સોમવારે બંગાળમાં બે ચૂંટણી જનસભાઓને સંબોધિત કરશે. સવારે પહેલા ખડગપુરના ઝાડગ્રામમાં તેમની સભા છે. ત્યારબાદ બપોરે 1 કલાકે બાંકુડા જિલ્લાના રાનીબંદમાં તેમની સભા છે. પ્રથમ તબક્કામાં ખડગપુર સદર સહિત 29 વિધાનસભા સીટો માટે 27 માર્ચે મતદાન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube