કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે પુરુલિયા (Purulia) માં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામના ઘરે રાશન પહોંચાડવામાં આવશે
મમતા બેનર્જી (Mamata Banerjee) એ જનસભાને સંબોધતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહેશે, તમને મફત રાશન મળતું રહેશે અને અમે તમારા ઘર સુધી રાશન પહોંચાડીશું. તમારે મે બાદ ખરીદી કરવા આવવાનું નથી. તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે એકમાત્ર કાયદો છે, જે ખેડૂતોના જબરદસ્તી જમીન સંપાદનને રોકી શકે છે. અહીં પાણીની કેટલીક સમસ્યા છે પરંતુ અમારી પાસે અનેક યોજના છે અને અમે તેને જલદી ઠીક કરી દઈશું. 


West Bengal Election: Amit Shah એ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- ગુંડાગીરીના કારણે અટક્યો બંગાળનો વિકાસ


Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube