કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દલિત સમુદાય ઓલ ઇન્ડિયા મતુઆ મહાસંઘની કુલદેવી બીનાપાણી દેવી સાથે મુલાકાત કરી. બીનાપાણીને રાજ્યમાં એક મોટા તબક્કાનાં પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે. મોદી કોલકાતા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ભારતીય વાયુસેના (IAF)ના હેલિકોપ્ટરથી કોલકાતાથી 67 કિલોમીટર દુર આવેલ ઠાકુરનગર ગયા. આ ગામ બાંગ્લાદેશની સીમા નજીક આવેલું છે. 


Delhi NCR Earthquake: દિલ્હી સહિત NCRમાં 6.1ની તિવ્રતાનો ધરતીકંપ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે, મને બરોમાં અને હરિચંદ ઠાકુરના વંશજોની સાથે હોવા અંગે ગર્વ છે. હું ઠાકુરનગરની આ તમામ મહાન હસ્તીઓને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરુ છું. મતુઆ સમુદાય મુખ્ય રીતે બાંગ્લાદેશથી આવેલા નાની જાતીનાં હિંદુ શરણાર્થી છે અને તેને લગભગ 70 લાખની જનસંખ્યા સાથે બંગાળનો બીજો સૌથી પ્રભાવશાળી અનુસૂચિત જનજાતી સમુદાય માનવામાં આવે છે. બનગાંવ લોકસભા વિસ્તારમાં 50 ટકાથી વધારે મતુઆ સમુદાયનાં લોકો છે. જો કે પ્રદેશનાં અલગ અલગ દક્ષિણી જિલ્લાઓમાં આ સમુદાયની વસ્તી લગભગ 1 કરોડ છે. જે પ્રદેશની 294 વિધાનસભા સીટોમાંથી ઓછામાં ઓછી 74 સીટો પર નિર્ણાયક ભુમિકા નિભાવે છે.