નવી દિલ્હી: સીબીઆઈએ મમતા બેનરજી અને રાજીવ કુમાર મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટે આવતી કાલ પર ટાળી છે. સીબીઆઈ  તરફથી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કોર્ટમાં દલીલ રજુ કરી. તુષાર મહેતાએ આ દરમિયાન કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ચાર વાર સમન જારી કરાયા હતાં. આ અંગે ડીજીપીને પણ જણાવવામાં આવ્યું હતું. રાજીવ કુમાર તરત સરન્ડર કરે જેથી કરીને પુરાવા નષ્ટ ન થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક કોર્ટની અવગણનાની અને બીજી કોર્ટ તરફથી નિર્દેશ મેળવવા માટેની. સુપ્રીમ કોર્ટે  કહ્યું કે આવતી કાલે આ મામલે ડીટેલમાં વિગતો સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજીવ કુમારે જે પુરાવા નષ્ટ કર્યા છે, તેના પુરાવા સીબીઆઈ રજુ કરે. સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર પુરાવા નષ્ટ કરી નાખશે. આ મામલે સુપ્રીમ કોર્ટે  કહ્યું કે જો પશ્ચિમ બંગાળ સરકાર એવું કરશે તો તેમણે તે બદલ ભોગવવું પડશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે પહેલા તમે પુરાવા તો આપો કે કોલકાતા પોલીસના ઓફિસર કયા દસ્તાવેજો નષ્ટ કરી રહ્યાં છે. 


આખરે કોણ છે આ રાજીવ કુમાર? જેમને બચાવવા મમતા બેનરજી ધરણા પર બેસી ગયા, જાણો મામલો


CBIvsPOLICE LIVE: પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા, TMC કાર્યકરોનું હિંસક પ્રદર્શન


મમતાએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
કોલકાતામાં ઉભા થયેલા સંકટ બાદ મમતા બેનરજીએ  પોલીસ કમિશનરના ઘરની બહાર આવીને મોદી સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આ બધા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર છે. ત્યારબાદ મમતા ધરણા પર  બેસી ગયાં. આ મુદ્દે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો પણ તેમને સાથ મળ્યો છે. કેજરીવાલ આજે તેમના સમર્થનમાં કોલકાતા જઈ શકે છે. આ બાજુ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. તૃણમૂલ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. 


CBIvsWBPOLICE: કોલકાતા સહિત સમગ્ર દેશનું રાજકારણ ઉકળ્યું, રાષ્ટ્રપતિ શાસનની માંગ


મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું કે મોદી સરકારે બંધારણ અને સંઘીય માળખાની ભાવનાનું ગળું ઘોંટી દીધુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો  પણ મમતાના સમર્થનમાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને આડે હાથ લેતા આ અપમાનના વિરોધમાં સ્થાનિક મેટ્રો સિનેમા સામે મમતા ધરણા પર બેસી ગયા છે. 


આ અગાઉ પોલીસે કોલકાતામાં સીબીઆઈની ઓફિસ પર કબ્જો જમાવી લીધો હતો. જ્યારે આ હાઈપ્રોફાઈલ ડ્રામા ચાલી રહ્યો હતો ત્યારે જ મુખ્યમંત્રી મમતા બેનરજી પોલીસ કમિશનરને મળવા પહોંચી ગયાં. જ્યારે સીબીઆઈના અધિકારીઓ રાજીવકુમારની પૂછપરછ કરવા ગયા તો પોલીસકર્મીઓ સાથે  તેમને માથાકૂટ પણ  થઈ. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારે સૌથી પહેલા એવો નિર્ણય જાહેર કર્યો હતો કે સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં તેમની પરવાનગી વગર કોઈ એક્શન લેશે નહી. હવે ભાજપ એવા સવાલ ઉઠાવી રહ્યો છે કે મમતા બેનરજી આખરે સીબીઆઈથી આટલા કેમ ડરે છે. 


CBIvsPolice: દેશના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ દ્વારા પુછપરછ માટે CBI અધિકારીઓને કસ્ટડીમાં લેવાયા


CBIvsPolice: અધિકારીઓની ધરપકડ સુપ્રીમની સ્પષ્ટ અવગણના, CBI પાસેછે આ વિકલ્પ


મીડિયા રિપોર્ટ મુજબ પૂછપરછ માટે આવેલા અધિકારીઓના ડ્રાઈવરને સૌથી પહેલા હટાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એક બાદ એક અન્ય અધિકારીઓને ઉઠાવીને પોલીસ સ્ટેશને મોકલી દીધા.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...