નવી દિલ્હીઃ ammed Shikharji Controversy: ઝારખંડ સરકાર દ્વારા શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરાયા બાદ દેશભરના જૈન સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. આવો તમને જણાવીએ શ્રી સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી જૈન સમાજની આસ્થા અને તેના પર શરૂ થયેલા વિવાદ વિશે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં સ્થિત શ્રી સમ્મેદ શિખરજીને પાશ્ચર્વનાથ પર્વત કહેવામાં આવે છે. જૈન ધાર્મિક માન્યતા અનુસાર અહીં 24માંથી 20 જૈન તીર્થકરો અને ભિક્ષુઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી જૈન સમાજની આસ્થા
સમ્મેદ શિખરજી જૈનનું પવિત્ર તીર્થ છે. જૈન સમાજ અનુસાર સમ્મેદ શિખરજીનો કણ-કણ અત્યંત પવિત્ર છે. જૈન સમુદાય સમ્મેદ શિખરજીના દર્શન કરે છે અને 27 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલા મંદિરોમાં જાય છે અને પૂજા કરે છે. જૈન લોકો પૂજા બાદ ભોજન કરે છે. ત્યાં કોઈ પ્રકારની અસામાજિક ગતિવિધિ તે પવિત્ર સ્થાનની પવિત્રતા અને જૈનિયોની આસ્થાને ઠેસ પહોંચી શકે છે. 


Video: શોપિંગ દરમિયાન વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક..બાજુમાં ઉભેલા વ્યક્તિએ બચાવ્યો જીવ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube