નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાલ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  પર જોરદાર ચર્ચા ચાલુ છે. આસામમાં તો આ બિલને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જો કે આ બિલનું ઈઝરાયેલ (Israel) કનેક્શન પણ જાણવા જેવું છે. હકીકતમાં દરેક દેશ પોતાના મૂળભૂત નાગરિકોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહે છે. પરંતુ ભારત જે નવી જોગવાઈને આજે જોડવાની કોશિશ કરી રહ્યું છે તેનું સીધુ કનેક્શન ઈઝરાયેલના નાગરિક કાયદા સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ


પહેલીવાર કોઈ ધર્મના આધારે ઈઝરાયેલે બનાવ્યો હતો કાયદો
ધર્મના આધારે ઈઝરાયેલે સૌથી પહેલા નાગરિક કાયદો 1950માં બનાવ્યો હતો. આ કાયદા મુજબ સમગ્ર દુનિયામાં યહૂદી ધર્મને માનનારા લોકો કોઈ પણ રોકટોક વગર ઈઝરાયેલ (Israel) ની નાગરિકતા લઈ શકે છે. જો કે નાગરિકતા આપતા પહેલા સરકાર તેની સંપૂર્ણ ખરાઈ પણ કરે છે. પરંતુ સમગ્ર દુનિયાના યહૂદીઓનું ઈઝરાયેલ સરકાર નાગરિકતા લેવા માટે ખુલ્લા મને સ્વાગત કરે છે. ધાર્મિક આધાર પર નાગરિકતા અન્ય કોઈ દેશમાં અપાતી નથી. 


નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ


ભાજપ પણ એ જ રીતે લાવી રહ્યું છે કાયદો
હાલના નાગરિકતા સંશોધન બિલ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુઓ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો પાસ થયા બાદ ભારત 2014 અગાઉ આવેલા આ દેશોના 6 ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા પાત્ર ગણશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube