નવી દિલ્હી :નાગરિકતા કાયદાને લઈને દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. હિંસા ફેલાઈ રહી છે. ત્યારે હિંસા ફેલાવવામાં સામેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલ એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે, પીએફઆઈએ બેંક એકાઉન્ટથી દેશના અનેક મોટા વકીલોને રૂપિયા આપ્યા છે. તેમાં કપિલ સિબ્બલ અને ઈન્દિરા જયસિંહનું નામ પણ સામેલ છે. તપાસ દરમિયાન પીએફઆઈના કુલ 73 બેંક ખાતા વિશે માલૂમ પડ્યું છે. જેમાં 2 થી 3 દિવસની અંદર 120 કરોડ રૂપિયાથી વધુ જમા કરવામા આવ્યા છે, અને તેને પરત કાઢી લેવામાં આવ્યા હતા. 


...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએફઆઈ માધ્યમથી અનેક ટોચના વકીલોને રૂપિયા મોકલવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુપીના બહરાઈચ, બિજનૌર, હાપુડ, શામલી, ડાસનાથી આ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.


કપિલ સિબ્બલની પાસે 77 લાખ
ઈન્દિરા જયસિંહની પાસે 4 લાખ
દુષ્યંત દવેની પાસે 11 લાખ
અબ્દુલ સમર (એનઆઈએના ચાર્જશીટમાં સામેલ) 3 લાખ 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક