Aadhaar Card News: આધારકાર્ડ આજે સૌથી અગત્યનો દસ્તાવેજ છે. જે તમને દરેક જગ્યા પર કામ લાગે છે. જો આપણે બેંકમાં જવું હોય અથવા ટ્રેનની ટિકિટ ખરીદવી હોય, તો આપણે સૌથી પહેલા ધ્યાન આપીએ છીએ કે આપણી પાસે આધાર કાર્ડ છે કે નહીં. આધાર કાર્ડ (Aadhaar Card)આપણી ઓળખની સાથે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આના વિના હાલમાં સરકારી કે બિનસરકારી કામ થઈ શકે તેમ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો


આધાર કાર્ડ (Aadhaar Card) પર લખેલા 12 અંકના અનન્ય નંબરમાં નામ, સરનામું, ફિંગરપ્રિન્ટ વગેરે જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી હોય છે.  જેને પગલે તમારે તમારા આધાર કાર્ડને લઈને ખૂબ જ સાવચેત રહેવું જોઈએ, જેથી કરીને કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.


શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આધાર કાર્ડનું શું થાય છે? મૃત વ્યક્તિનું આધાર કાર્ડ સરન્ડર કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ? આ સવાલ તમને પણ થતો હોય તો અમે અહીં તમને એ વિગતો આપીશું....


સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા


આધાર કાર્ડ સરેન્ડર કે બંધ કરી શકાય?
આધાર કાર્ડ UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. તમે સગીર અને નવજાત બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનું આધાર કાર્ડ કેવી રીતે સરન્ડર કરવું અથવા બંધ કરવું તે અંગે હજુ સુધી કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી.


આનો અર્થ એ છે કે તમે તમારું આધાર કાર્ડ સરન્ડર અથવા રદ કરી શકતા નથી. જો કે, UIDAI એ આધાર કાર્ડને સુરક્ષિત રાખવા માટે આધાર લોકની સુવિધા આપી છે.


જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો


આધાર કાર્ડ (Aadhaar Card) લોક કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાતો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે પહેલાં તેને અનલોક કરવું પડશે. જો તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે, તો તમે તેમનું આધાર કાર્ડ લોક કરી શકો છો. જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.


વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં


આધાર કાર્ડ (Aadhaar Card) કેવી રીતે લોક કરવું
સૌ પ્રથમ, તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ (uidai.gov.in) પર જવું પડશે અને myaadhaar ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
હવે સેવા પર ક્લિક કરો અને 'Lock/Unlock Biometrics' નો વિકલ્પ પસંદ કરો.
આ પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. અહીં તમારે આધાર નંબર () અને કેપ્ચા ભરવાનું રહેશે અને Send OTP પસંદ કરો.
હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP ભરો, ત્યારબાદ લોક/અનલોક ધ બાયોમેટ્રિક ડેટામાંથી લોક વિકલ્પ પસંદ કરો.
આ પછી તમારું આધાર કાર્ડ લોક થઈ જશે. એ જ રીતે, આધાર કાર્ડને અનલૉક કરવા માટે, તમારે તે જ સ્ટેપને અનુસરવું પડશે અને અનલૉક વિકલ્પ પસંદ કરવો પડશે.