Silky Hair: ચોમાસામાં ડ્રાય વાળ અને ફ્રીઝી વાળની સમસ્યા વધી જાય છે. જો વાળ ડ્રાય હોય તો વધારે પ્રમાણમાં ખરે છે. તેવામાં વાળની ડ્રાયનેસથી મુક્તિ મેળવવા માટે મહિલાઓ મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેમ છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી અને વાળ સિલ્કી થતા નથી. પરંતુ આજે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેને અજમાવીને તમે ફ્રિઝી વાળથી મુક્તિ મેળવી શકો છો અને વાળને સિલ્કી બનાવી શકો છો. આ ટિપ્સ અજમાવવામાં તમારે ખર્ચો પણ વધારે નહીં કરવો પડે કેટલીક ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળની ડ્રાઇનેસ દૂર કરવી હોય અને તેને સિલ્કી બનાવવા હોય તો શેમ્પુ કરતી વખતે કેટલીક વસ્તુઓમાં ઉમેરી દેવી જોઈએ આમ કરવાથી વાળની ડ્રાઇનેસ દૂર થઈ જશે. તો ચાલો તમને જણાવીએ કે શેમ્પુમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરી શકાય છે.


આ પણ વાંચો:


Healthy Eyes: આંખના નંબર ઉતારવાનું કામ કરે છે આ ફૂડ્સ, સ્વાસ્થ્ય પણ રહે છે સારું


વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર


મૂળમાંથી સફેદ થયેલા વાળ પણ થવા લાગશે કાળા, અઠવાડિયામાં 3 દિવસ વાળમાં લગાડો આ રસ


શેમ્પુમાં મધ ઉમેરો


વાળની ડ્રાઇનેસ ને દૂર કરવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે શેમ્પુ કરો ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરી દેવાનું રાખો. મધના કારણે વાળને પોષણ મળશે અને વાળનું મોઈશ્ચર જળવાઈ રહેશે.


એલોવેરા જેલ


વાળમાં શેમ્પુ કરતી વખતે શેમ્પુમાં એલોવેરા જેલ પણ મિક્સ કરી શકાય છે. તેનાથી વાળને જરૂરી પોષક તત્વો મળશે અને વાળની કુદરતી ચમક જળવાઈ રહેશે. વાળ ધોવા માટે તમે જે શેમ્પુ કાઢો તેમાં એક મોટી ચમચી એલોવેરા જેલ મિક્સ કરી અને થોડું પાણી મિક્સ કરી દેવું હવે આ શેમ્પુથી વાળ ધોવાનું રાખો.


એસેન્સીયલ ઓઇલ


વાળ ધોતી વખતે શેમ્પુમાં એસેન્સીયલ ઓઇલના બે થી ત્રણ ટીપા ઉમેરી શકાય છે. આમ કરવાથી વાળ સાફ પણ થઈ જશે અને ડ્રાઇનેસ દૂર થશે. સાથે જ વાળ શાઈની અને સોફ્ટ બનશે. 


જો તમારા વાળ વધારે પ્રમાણમાં જ ફ્રીઝી હોય તો વાળને ધોયા પહેલાં આ હેરપેક વાળમાં લગાડી લેવો. તેના માટે અડધો કપ એલોવેરા જેલમાં થોડું બદામનું તેલ ઉમેરીને તેને વાળમાં લગાડી એક કલાક માટે રાખો. ત્યાર પછી વાળને શેમ્પુ કરશો તો વાળની ડ્રાયનેસ દૂર થશે અને વાળ શાઈની બનશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)