Skin Care Routine: રાત્રે સુતા પહેલા ત્વચાને સારી રીતે સાફ કરવી અને મોઈશ્ચુરાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો નાઈટ સ્કિન કેર રૂટીનને મહત્વ આપતા નથી. જેના કારણે ત્વચાને જરૂરી પોષણ રાત્રે મળતું નથી અને ત્વચા ડેમેજ થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Skin Care: શરીરના અણગમતા મસા 7 દિવસમાં નીકળી જશે, નિયમિત લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ


રાત્રે ત્વચાને સાફ કરીને જો તમે ફક્ત ઓલિવ ઓઈલ પણ અપ્લાય કરી લો છો તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. વર્ષોથી સૌંદર્ય નિખાર માટે ઓલિવ ઓઈલને ઉપયોગમાં લેવાય છે. વિટામિન ઈ અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર ઓલિવ ઓઈલ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. રાત્રે ચહેરા પર ઓલિવ ઓઇલ લગાડીને મસાજ કરવાથી ત્વચાને કેટલા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.  


ઓલિવ ઓઈલથી ત્વચાને થતા ફાયદા 


આ પણ વાંચો: Skin Care: ચોમાસામાં સ્કિનને હેલ્ધી રાખવા સ્કિન કેર રુટીનમાં સામેલ કરો તજના આ ફેસપેક


- ઓલિવ ઓઈલ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા ડ્રાય અને બેજાન નહીં દેખાય. 


- ઓલિવ ઓઈલમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે ચહેરા પર પડતી કરચલીઓ અને ફાઈનલાઇન્સને ઘટાડવામાં મદદ કરે છે તે ત્વચાને સોફ્ટ અને લચકદાર બનાવે છે. 


- ઓલિવ ઓઈલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ખીલને ઘટાડવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: Hair Fall: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, ઘરમાં રહેલા આ 2 તેલનો કરો ઉપયોગ


- ઓલિવ ઓઈલ નેચરલ મેકઅપ રીમુવર પણ છે તેના વડે જો તમે મશકારા અને આયશેડોને સાફ કરો છો તો આંખની આસપાસની સ્કીનને નુકસાન પણ થતું નથી. 


- રાત્રે ઓલિવ ઓઈલ અપ્લાય કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ મળે છે 


કેવી રીતે એપ્લાય કરવું ઓલિવ ઓઈલ ? 


આ પણ વાંચો: Hair Lice: એક રાતમાં જૂ અને લીખથી મેળવો છુટકારો, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય


સૌથી પહેલા ચહેરાને બરાબર રીતે ધોઈ અને સાફ કરી લો ત્યાર પછી હથેળીમાં બે કે ત્રણ ટીપા ઓલિવ ઓઇલના લઈને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો ત્યાર પછી 10 મિનિટ હળવા હાથે મસાજ કરી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. 


જે લોકોની ત્વચા ઓઇલી હોય તેમણે અઠવાડિયામાં બે કે ત્રણ જ વખત ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જે લોકોની ત્વચા ડ્રાય હોય તેઓ રોજ રાત્રે ઓલિવ ઓઇલ અપ્લાય કરી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)